મૂળ રે વિનાનું કાયા ઝાડવું
કોણ સમજે ? કોને આ સમજાવવું ?
ક્યાંથી નીકળવું અને ક્યા પહોચવું ?
કોને ઘર જઈને કહો શું વહોરવું ?
સ્હેજ હળવા હાથથી તું કર પ્રહાર
તંત છું, પ્રતિભાવ મારો વાગવું
ચાર આંખોનાં મિલનને પ્રેમ કહી
કામનાને નામ તે આપ્યું નવું
થઈ બધી પ્રતીતિઓ પણ તાર-તાર
જાણે ઉખળતા જ તૂટ્યું રાંઢવું
એકબીજામાં ભળ્યાં ‘ને ઓગળ્યાં
દૂરનું સંધાન ‘ને આ નેજવું
પાંખને ધારી તો પ્રગટ્યાં પંખીઓ
પંખીને ધરીને શું પ્રગટાવવું ?
(પ્રથમ પંક્તિસંદર્ભ – સંતકવિ રવિસાહેબ )
કોણ સમજે ? કોને આ સમજાવવું ?
ક્યાંથી નીકળવું અને ક્યા પહોચવું ?
કોને ઘર જઈને કહો શું વહોરવું ?
સ્હેજ હળવા હાથથી તું કર પ્રહાર
તંત છું, પ્રતિભાવ મારો વાગવું
ચાર આંખોનાં મિલનને પ્રેમ કહી
કામનાને નામ તે આપ્યું નવું
થઈ બધી પ્રતીતિઓ પણ તાર-તાર
જાણે ઉખળતા જ તૂટ્યું રાંઢવું
એકબીજામાં ભળ્યાં ‘ને ઓગળ્યાં
દૂરનું સંધાન ‘ને આ નેજવું
પાંખને ધારી તો પ્રગટ્યાં પંખીઓ
પંખીને ધરીને શું પ્રગટાવવું ?
(પ્રથમ પંક્તિસંદર્ભ – સંતકવિ રવિસાહેબ )
No comments:
Post a Comment