Wednesday, 18 September 2013

કાયા ઝાડવું

મૂળ   રે    વિનાનું    કાયા   ઝાડવું
કોણ સમજે ? કોને  આ સમજાવવું ?

ક્યાંથી નીકળવું અને ક્યા પહોચવું ?

કોને  ઘર  જઈને  કહો  શું  વહોરવું ?

સ્હેજ  હળવા હાથથી  તું કર  પ્રહાર

તંત  છું,   પ્રતિભાવ  મારો  વાગવું

ચાર  આંખોનાં  મિલનને પ્રેમ કહી
કામનાને   નામ  તે  આપ્યું    નવું

થઈ બધી પ્રતીતિઓ પણ તાર-તાર
જાણે  ઉખળતા   જ   તૂટ્યું   રાંઢવું

એકબીજામાં  ભળ્યાં ‘ને  ઓગળ્યાં
દૂરનું     સંધાન   ‘ને   આ    નેજવું

પાંખને  ધારી  તો પ્રગટ્યાં પંખીઓ
પંખીને    ધરીને   શું   પ્રગટાવવું ?

(પ્રથમ પંક્તિસંદર્ભ – સંતકવિ રવિસાહેબ )

No comments:

Post a Comment