Saturday, 20 August 2011

અનભેગતિ-ગીત



પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમાથ
પંખી ઉડયા અનભે, ઝીણું ચાચમાં ઝાલી તથ

પહેલું જ્યાં આકાશ વળોટયું
ખરવા લાગ્યો ભાર
પિચ્છ ખર્યા ને કલગી ખરી
ઓગળ્યા રે આકાર
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડાળો રથ
પંખી ઉડયા અનભે, ઝીણું ચાચમાં ઝાલી તથ

કેટલી વખત ? ભેદવા હજુ
કેટલા દિગ્દિગંત ?
પૂછીએ તો પડઘાઈને પાછો
ક્યાય ઠેલાતો અંત
ભીંસતી ઠાંસોઠાંસ ખુલ્લાશો થઈ ઇતિ ને અથ  
પંખી ઉડયા અનભે, ઝીણું ચાચમાં ઝાલી તથ
અનભે {રવિભાણ સંપ્રદાયના રવિ સાહેબનો આ પ્રિય શબ્દ છે.} ૧/અ-નભ , જેનો કોઈ છેડો નથી એવું આકાશ. ૨/ અન-ભે ,ભયરહિત. યોગીઓ, સાધકો કુંડલિનીની ઊર્ધ્વગામી ગતિને 'પંખીની આકાશીગાતિ' તરીકે પણ ઓળખે છે. આ ગીતનું પંખી તો ચાંચમાં તથ=સત્યને લઈને નીકળ્યું છે. એણે પવન[સાંસ-ઉસાંસ ?]નું વાહન બનાવ્યું અને જેનો છેડો નથી એવા આભને લક્ષ્ય ! એટલે તો એ કવિતાનું પંખી છે. એ અનુ-આધુનિક પંખી છે. અસ્તુ.

No comments:

Post a Comment